વ્યક્તિ પોતાનાથી ક્યારે દૂર થાય છે જાણો કારણ...
પોતાના ક્યારે પરાયા થાય છે.... ? જુદા જુદા જોવા મળતા સંકેતો ... 1- સંયુક્ત પરિવારમાં જ્યારે બધા સાથે હોય છે ત્યારે શરૂઆત માં બધુ વ્યવસ્થિત ચાલે છે આવા સમયમાં પરિવારના અમુક દૂશ્મનો પણ હોય છે જેની સામે આર્થિક અથવા સામાજિક લડત ચાલુ હોય છે. હવે આ લડત જીતવામાં થોડો સમય લાગે છે કારણ કે પરિવાર એક છે અને લડત સામે આખો પરિવાર એક થઈ ને ઊભો છે. જેથી આ લડત જીતી પણ જઈએ છીએ. 2- લડત જીત્યા બાદ બને છે એવું ... કે અત્યાર સુધી પરિવારના તમામ સભ્યોનું ધ્યાન માત્ર એક વ્યક્તિ સામે હતું એટલે પરિવારના અન્ય વ્યક્તિ ની ભૂલો દેખાતી ન હતી. જ્યારે એ બહારનો દુશ્મન નથી રહેતો એટલે કે બહારની દુશ્મનાવટ દૂર થાય છે , ત્યારે વ્યક્તિ પોતાની આજુ બાજુ એટલે કે પરિવારમાં એક નવો દુશ્મન ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે હવે એમની ઇર્છા વૃતિ છે એ બહારના વ્યક્તિ પરથી દૂર થઈ ને ઘર પર આવી ગય હોય છે. 3- ધીમે-ધીમે ઘરના બધા વ્યક્તિની ભૂલો દેખાવા લાગે છે અને વાદ-વિવાદ ઊભા થાય છે અને પરિવાર વિખરાવવા લાગે છે. વ્યક્તિ પોતાના સ્વજનોથી દૂર થવા લાગે છે. ...